મોરબી અપડેટના નવા શો “પોડકાસ્ટ”માં આ વખતે સાંભળો જાણીતા એંકર અને સંગીત તજજ્ઞ ડો.શૈલેષભાઈ રાવલને..

- text


“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ- 9 માં સાંભળો જાણીતા રેડિયો-ટીવી એન્કર, સંગીતમાં જેમણે PHD કર્યું છે, ગુજરાતના જગજિતસિંહ તરીકે લોકચાહના મેળવનાર શૈલેષભાઈ રાવલને..

મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

- text

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે નવમો એપિસોડ આવતી કાલે તારીખ 6 નવેમ્બર ને બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના નવમાં એપિસોડમાં જાણીતા રેડિયો-ટીવી એન્કર, સંગીતમાં જેમણે PHD કર્યું છે, ગુજરાતના જગજિતસિંહ તરીકે લોકચાહના મેળવનાર શૈલેષભાઈ રાવલ સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં સંગીત નો મનુષ્ય જીવન સાથે શું સંબંધ છે, સંગીતથી મનુષ્ય જીવનમાં કેટલા ફેરફાર આવે છે, એક સફળ એન્કર કઈ રીતે બની શકાય. તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.

- text