મોરબીની દીકરીને કરિયાવર મામલે અમદાવાદના સાસરિયાઓનો ત્રાસ 

- text


પરિણીતાએ પતિ, સાસુ, સસરા સહિતના નવ સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી 

મોરબી : મોરબીમાં માવતર ધરાવતી દીકરીને અમદાવાદ રહેતા સાસરિયાઓ દ્વારા ઓછો કરિયાવર લાવી હોવાના મેણાંટોણાં મારી શારીરિક – માનસિક ત્રાસ ગુજારતા પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ, સાસુ, સસરા સહિતના નવ સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે’

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરા વિસ્તારમાં હાલ પિતાને ઘેર રહેતા મનીષાબેન નુતનભાઇ પંડયાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી તેમના અમદાવાદ રહેતા પતિ નુતનભાઇ પ્રવીણભાઇ પંડ્યા, સસરા પ્રવીણભાઇ ભાનુભાઇ પંડયા, સાસુ સવીતાબેન પ્રવીણભાઇ પંડયા, મોટા સસરા પ્રભુદાસભાઇ ભાનુભાઇ પંડયા, જેઠ પ્રકાશભાઇ પ્રવીણભાઇ પંડ્યા, જેઠાણી ફાલ્ગુનીબેન પ્રકાશભાઇ પંડયા, નણંદ ગીતાબેન અશોકભાઇ ગાંગેરા, કલ્પનાબેન ભુપેશભાઇ શુકલ અને નણંદોયા ભુપેશભાઇ મોતીલાલ શુકલ દ્વારા અવાર નવાર નાની – નાની બાબતોમા તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તમેજ ગાળો આપી પતિની ચડામણી કરી લગ્નજીવન બરબાદ કરી નાખ્યું હતું. વધુમાં ગૃહક્લેશ મામલે સમાજરાહે સમાધાન પ્રક્રિયા કરવા છતા સમાધાન ન થતા અંતે મોરબી મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text