વિરપર ખાતે તા.19મીએ ગૌસેવાના લાભાર્થે રાણકદેવી-રા’ખેંગાર ઐતિહાસિક નાટક ભજવાશે

- text


ટંકારા : સમસ્ત વિરપર ગામ દ્વારા કામધેનુ આશ્રમ ખાતે આગામી તા. 19ને ગુરૂવારે રાત્રે 10 કલાકે ગૌસેવાના લાભાર્થે ઐતિહાસિક નાટક તેમજ કોમિક નાટક ભજવવામાં આવશે.

ગૌ માતાના લાભાર્થે સમસ્ત વિરપર ગામ તેમજ કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 19ને પાંચમા નોરતે રાત્રે 10 કલાકે કામધેનુ આશ્રમ ખાતે નાટક તેમજ કોમીક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઐતિહાસિક નાટક રાણકદેવી-રા’ખેંગાર રજૂ કરાશે તેમજ પેટ પકડીને હસાવતુ કોમીક નભલો-પભલો રજૂ કરાશે. આ ઉમદા કાર્યમાં સમગ્ર વિરપર ની જનતાને સહભાગી થવા તેમજ ભવ્ય નાટકનો આનંદ માણવા સમસ્ત વીરપર ગામ તેમજ કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text