12 જ્યોર્તિલિંગની પગપાળા યાત્રા કરી મોરબી પધારેલા સંતનું સ્વાગત કરતા ગૌભક્તો 

- text


એનિમલ વેલ્ફેર બોર્ડના દિલીપભાઈ શાહનું પણ અભિવાદન કરાયું

મોરબી : 12 જ્યોર્તિલિંગની પગપાળા યાત્રા કરી મોરબી પધારેલા સંતનું ગૌભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે એનિમલ વેલ્ફેર બોર્ડના દિલીપભાઈ શાહનું પણ અભિવાદન કરાયું હતું.

108 મંગલેશ્વર અખંડાના મહાત્મા સંત કે જેમને પગપાળા બાર જ્યોતિર્લિંગની યાત્રા કરેલ હોય તેઓ અને સાથે એનિમલ વેલ્ફેર બોર્ડના દિલીપભાઈ શાહ મોરબી પધાર્યા હતા. તેઓએ યદુનંદન ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વેળાએ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌરક્ષક ભાઈઓ અને સંગઠનના આગેવાનો કે.બી. બોરીચા- મોરબી અખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી, હિન્દુ યુવા વાહીની મોરબી હોદેદારોની ટીમના ચેતનભાઇ પાટડિયા, નિલેશભાઈ ડાંગર, જીતુભાઈ ચાવડા, જીતુભાઈ સેતા, સનીભાઈ કલોલા, એતરાજસિંહ પરમાર, યશભાઈ, મેહુલભાઈ ડોડીયા, વિવેકભાઈ સીતાપરા, પંકજભાઈ નકુમ, વૈભવભાઈ, અંકિતભાઈ, સંજયભાઈ ભરવાડ, જગદીશભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા.

- text

- text