રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ રૂટ પર દોડશે

- text


રાજકોટ : રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અમુક ટ્રેન આગામી દિવસોમાં આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

અમદાવાદ ડિવિઝનના મહેસાણા-અમદાવાદ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. ત્યારે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેમાં તા.26 અને 27 મે, 2022 ની ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ, તારીખ 28 મે, 2022ની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ અને તારીખ 26 મે, 2022 ની ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણાને બદલે ડાઈવર્ટ કરાયેલા રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને ચાલશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન પર ઉભી રહેશે નહીં.

- text

ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવેલ તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને તેઓને કોઈ અસુવિધા ન થાય.

- text