- text
મોરબી : બોલીવૂડ સ્ટાર સારા અલીખાન અને વિક્રાંત મૈસી ગઈકાલે યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે જગતમંદિરમાં બોલીવૂડ સ્ટાર સારા અલીખાન અને વિક્રાંત મૈસી એ કાળીયા ઠાકોર તથા ભડકેશ્વર મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું હતું.
હિન્દી ફિલ્મ ગેસલાઈટના શૂટિંગ અર્થે બોલીવૂડ સ્ટાર સારા અલી ખાન અને વિક્રાંત મૈસી સહિતના કાફલાએ મોરબી જિલ્લામાં ધામા નાખ્યા બાદ ગઈકાલે તેઓએ દ્વારકાની મુલાકાત લીધી છે. ત્યારે અભિનેત્રી સારા અલી ખાન તથા અભિનેતા વિક્રાંત મૈસી એ ચાર ધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં શ્રીદ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ એક્ટ્રેસ સારા અલી ખાને જગતમંદિરની વિઝીટર બુકમાં સાઈન કરી હતી.
આ ઉપરાંત, રાજાધિરાજના દર્શન કર્યા બાદ સારા અલી ખાન તથા વિક્રાંત મૈસી બંને ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ નાગેશ્વર મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text