મોરબીમાં આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ

- text


મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીનાં સહયોગથી આગામી તા.12ને રવિવારે નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક નજીક, રવાપર રોડ ખાતે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવામાં આવશે.

મયુર નેચર કલબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આગામી રવિવારે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી,પાટિયા. ફુલઝાડ માટેનાં કુંડા વગેરે.આ ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે. કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text