પત્રકાર ઉપર રાજદ્રોહના કેસના વિરોધમાં વાંકાનેરના પ્રેસ કલબે આવેદન આપ્યું

- text


વાંકાનેર : અમદાવાદના પત્રકાર ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કરતા પત્રકાર આલમમાં ઘેરા પત્રકાર પડ્યા હતા. આ બનાવનો પત્રકારો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પત્રકાર ઉપર રાજદ્રોહના કેસના વિરોધમાં પ્રેસ કલબ ઓફ વાંકાનેરના નેજા હેઠળ વાંકાનેરના પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.

- text

પ્રેસ કલબ ઓફ વાંકાનેરના નેજા હેઠળ વાંકાનેરના પત્રકારોએ પ્રાંત અંધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે તાજેતરમાં અમદાવાદના એક ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ ઉપર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ પત્રકારે પોતાના માધ્યમથી સતા પરિવર્તનના અહેવાલ પ્રસિદ્ધ કરતા તેમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આ પ્રકારનું કૃત્ય એ પત્રકારોને બંધારણમાં મળેલા વાણી સ્વતંત્રતા ઉપર તરાપ સમાન છે. મીડિયાકર્મીઓ સરકાર સામે ભવિષ્યમાં સચોટ ન્યુઝ ન લખે તે માટે તેમને ડરાવવા ધમકાવવા માટે આ કૃત્ય થયું હોવાનું જણાવીને જવાબદારોના કૃત્યને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. આથી, ભવિષ્યમાં મીડિયાકર્મીઓની વાણી સ્વતંત્રતા ઉપર રોક ન લાગે અને પત્રકાર ઉપર થયેલા ખોટા કેસ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની વાંકાનેરના તમામ પત્રકારોએ સરકાર સમક્ષ માંગ કરી છે.

- text