મોરબીમાં ટ્રેનની હડફેટે યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે ગઈકાલે રાત્રે ટ્રેનની હડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસીમાં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝમાં રહીને કામ કરતો મૂળ છત્તીસગઢનો વતની અમરજીત પાસકર મિસરૂ ઉ.વ.30 નામનો યુવાન ગતરાત્રે પોતાના કારખાનેથી નીકળી કોઈપણ કારણોસર રફાળેશ્વર મકનસર વચ્ચેની રેલ્વે ટ્રેક પર બેઠેલો હોય ત્યાંથી ટ્રેન નીકળતા આ ટ્રેનની હડફેટે ચડી જવાથી તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text