- text
કોઈ પણ વ્યક્તિ બે મિનિટથી વધુ આરતી કરી ન શકે
મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલતી શિવકથામાં ડો.લંકેશ બાપુની કથાની શરૂઆત અનોખી આરતી દ્વારા થાય છે, કપૂર અને શુદ્ધ ધીના ૧૦૮ દિવડાની આ આરતીમાં એટલી તો અગનજવાળા હોય છે કે કોઈ પણ વ્યક્તિ બે મિનિટથી વધુ સમય આરતી ઉતારી શકતા નથી.
- text
ડો. લંકેશ બાપુની શિવકથાની શરૂઆતમાં રાષ્ટ્ર ગાન અને આરતીથી કરવામાં આવે છે જેમાં આરતી એટલી મોટી હોય છે કે ૧૦૮ દિવાની સાથે – સાથે ચાલુ આરતીમાં જ કપૂર નાખવામાં આવતું હોય ભલ ભલા લોકો આકરા તાપને કારણે ૨ મિનિટથી વધુ સમય સુધી આરતી હાથમાં રાખી શકતા નથી. વધુમાં ડો.લંકેશબાપુએ ઘી અને કપૂરની આરતી થકી વાતાવરણમાં ફેલાયેલ પ્રદુષણ દૂર થતું જોવાનું જણાવી આરતીનું મહત્વ સમજાવ્યું હતું.
- text