પાંજરાપોળની ૪૫૦૦ વિધા બંજર જમીનને લીલીછમ બનાવતું પાંજરાપોળ ટ્રસ્ટ : મકનસર વીડ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૧,૧૧,૧૧૧ વૃક્ષોનો ઉછેર : ૮૦૦ વિધામાં લીલોચારો ઉગાડી ૩૭૦૦ થી વધુ ગૌવંશનો કરતો નિભાવ મોરબી : મોરબી પાંજરાપોળ દ્વારા ૪૫૦૦ જેટલી વેરાન બંજર જમીનમાં ૧,૧૧,૧૧૧ ફળાવ વૃક્ષઓનું વાવેતર કરી આ વિસ્તારને ખૂબ જ ટૂંકા ગાળામાં હરિયાળો બનવવાની સાથે પાંજરાપોળમાં આશ્રય લેતા ૩૭૦૦ જેટલા ગૌવંશ માટે ૮૦૦ વિઘામા ઘાસચારાનું વાવેતર કરી અબોલ જીવોના નિભાવ ખર્ચમાં સ્વાવલંબન મેળવ્યું છે, ટુક સમયમાં જ મોરબીનો આ હરિયાળો વિસ્તાર એક પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા પણ ટ્રસ્ટીઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. મોરબી પાંજરાપોળના ભગીરથ પ્રયાસોથી આજે નંદનવન બની ગયેલ બંજર જમીન અંગે પત્રકારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા અને ટ્રસ્ટી મંડળના વેલજીભાઈ બોસે જણાવ્યું હતું કે, મોરબીના ગૌ પ્રેમી રાજવી પરિવારે તેમના સમયમાં શહેરના લીલપર રોડ પર ગૌવંશ માટે પાંજરાપોળ, રફાળેશ્વર ખાતે પાંજરાપોળ બનાવવા સાથે આ પાંજરાપોળમાં આવતા અબોલ ગૌવંશના નિભાવ માટે રફાળેશ્વર નજીક , મકનસર વીડ વિસ્તાર તરીકે જાણીતી કુલ ૪૫૦૦ વિઘા જમીન પાંજરાપોળના નામે કરી આપી હતી. આજે આ જમીનની કિંમત કરોડો - અબજો રૂ. થવા જઇ રહી છે. વર્ષોના અંતે મકનસર વીડ વિસ્તારની જમીન કોઇપણ જાતની માવજત કે કાળજી ન લેવાના કારણે બંજર બનતી ગઇ જમીન ન ઘણીયાતી હોય તેમ દબાણ થતા ગયા, જમીન પર સિરામીક સોલીડ વેસ્ટના ઢગલા થતા રહ્યા અને જમીનની ફળદ્રુપતાને હતી ન હતી કરી નાખી. બીજી તરફ પાંજરાપોળનમાં આવતા પશુઓની પણ પુરતી સારસંભાળ નહી લેવાતા તેઓની સ્થિતિ પણ દયાજનક બની ગઇ પાંજરાપોળમાં આવતા આવા માંદા ગૌવંશનો નિભાવ માત્ર દાન-પુણ્ય પર જ થતો હતો અને તે પણ અપુરતો. ત્રણ-ચાર વર્ષ પહેલાં આ પાંજરાપોળમાં ઘડ મૂળથી ફેરફારો થયા, સેવાભાવિ પ્રમુખ ડો. નિતિનભાઇ મહેતા યથાવત રહ્યા અને નવા ટ્રસ્ટીમંડળમાં મોરબીના ગૌપ્રેમી પરિવારના અગ્રણી ઉદ્યોગપતિ એવા વેલજીભાઇ ખોડાભાઇ પટેલ (બોસ) ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ગિરધરભાઇ આદ્રોજા, પ્રાગજીભાઇ હોથી, ભૂપતભાઇ મહેતા(રાજકોટ) સહિતના ટ્રસ્ટીઓ નિમાયા અને ગાંઠ વાળી કે મોરબીના આ પાંજરાપોળની દિશા, દશા અને છાપ બદલી નાખવા છે. આજે ત્રણ વર્ષના અંતે આ કાર્યમાં તેઓએ ખુબ સફળતા મેળવી છે. અને હજુ અંતિમ લક્ષ્ય તરફ અવિરત આગળ વધી રહ્યા છે. વીડ વિસ્તાર અને પાંજરાપોળનુ પત્રકારોને પરિભ્રમણ અને દર્શન કરાવવાની સાથે ટ્રસ્ટી વેલજીભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે લીલાપર રોડની મુખ્ય પાંજરાપોળ, રફાળેશ્વર પાંજરાપોળ-ગૌશાળામાં હાલમાં ગાયો, વાછરડાઓ, ખુટીયા સહિત કુલ ૩૭૦૦ પશુઓ આશરો લઇ રહ્યા છે. મોરબી, રફાળેશ્વર, મકનસર આ તમામ ગૌવંશ માટે પાકા આર.સી.સી.ના વિશાળ રોડ બનાવવામાં આવ્યા છે. એક પણ અબોલ જીવને કોઇ ઠંડીમાં, વરસાદમાં કે અતિશય ગરમીમાં તકલીફ ન પડે તે જાતની વ્યવસ્થા સાથે પશુઓને ૨૪ કલાક નિરણ-પુરો અને પાણી માટે અવાડા બનાવ્યા છે. પાંજરાપોળમાં આવતા બિમાર -અશકત ગૌવંશ માટે એક અલગ જ સારવાર વોર્ડ બનાવવામાં આવ્યા છે. જયાં સારવાર આપવા માટે પશુ ડોકટરો સતત હાજર રહે છે. તેમજ આવા અશકત પશુઓને ઉપાડી હેરફેર કરવા માણસો તૈનાત કરાયા છે. તમામ પશુવોર્ડની નિયમિત સફાઇ કરવા માણસો -યાંત્રિક સાધનો કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમોએ ગૌવંશનું વર્ગીકરણ કરી એ ગ્રેડ, બી ગ્રેડ અને સી ગ્રેડ પાડયા છે અને તેની રહેવાની પણ અલગ વ્યવસ્થા ઉભી કરી છે. અહી આવતી ગાયોની ઓલદ સુધારવા અને આગળના સમયમાં ગીરગાયની પ્રાપ્તિ થાય તે માટે સંસ્થાને એક સાંઢ રૂ. પાંચ લાખની કિંમતનો એવો ૧૪ સાંઢ ખરીદયા છે જે સર્ટીફાઇડ છે. આ સંસ્થાના તમામ અબોલજીવો માટે કાયમી ધોરણે દાન એકત્ર કરી તેનું ગુજરાન ચલાવવાને બદલે અમોએ આ પશુધન સ્વનિર્ભર બની રહે તે માટે હાલમાં ૮૦૦ વીધામાં નિરણ-ચારોનું વાવેતર કર્યુ છે. પશુઓનુ છાણીયું ખાતર વેચવાના બદલે હજુ વધુને વધુ જમીન ફળદ્રુપ બનાવી રહ્યા છીએ અને તેના ફળસ્વરૂપે સંસ્થામાં પશુ નિભાવણીનો દૈનિક ખર્ચ રૂ. ત્રણ લાખ, મેન્ટેનન્સ અલગ તે અમો બચાવી શકતા આઠ માસ પશુઓ સ્વનિર્ભર બની શકયા છે. ત્રણથી ચાર માસ માટેના ખર્ચની વ્યવસ્થા દાતાઓ દ્વારા કરવામાં આવે છે. વિશાળ ફલક પર ઉદ્યોગ ધરાવતા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ટ્રસ્ટી વેલજીભાઇએ પાંજરાપોળને આગળના સમયમાં કયા મકામ પર લઇ જવી છે તેની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર અને ફોરેસ્ટના વનીકરણ કાર્ય અંતર્ગત આ વિડ વિસ્તારમાં ૧,૧૧,૧૧૧ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ચીકુ, આંબા, સાગ, સીસમ, આંબલી,લીમડા, નારયેળી સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે. પાંજરાપોળના અબોલ પશુઓની પૂર્ણ સેવા કરવા સાથે નિભાવવાનો જીવનમંત્ર છે જ, ઉપરાંત અહીં હાલમાં ૩ હજાર લીટર દુધનું ઉત્પાદન થાય છે જે ૩૦ હજાર લીટરે લઇ જવું છે. સંસ્થાને આર્થિક સધ્ધરતા મળે સ્વાવલંબી બને તેવા હેતુ સાથે અહીં જે ગાયનું ધી, ચીકુ અન્ય ફળો મોરબીની સરકારી હોસ્પિટલ સહિત ગરીબ, બીમાર દર્દીઓ સુવાવડી બહેનો માટે શીરો બનાવી તમામ વસ્તુ નિયમિત વિતરણ કરી માનવતાના કાર્યમાં યશભાગી થવા પણ સંસ્થાએ નિર્ણય કર્યો છે. અને એક ઉદેશ્ય એવો પણ છે કે બે વર્ષ બાદ મોરબી પંથકમાંથી અહીં લોકો ફરવા, પિકનિક મનાવવા આવે, નાના-મોટો પ્રસંગો ઉજવે તેના માટે અહીં ત્રણ વિશાળ તળાવ બનાવવામાં આવ્યા છે. જેની આજુબાજુ વિશાળ પાર્ટીપ્લોટ બનાવી તેના પર લોન ઉભી કરવામાં આવી છે. તળાવ લાદીથી મઢીને તેમાં બોટીંગ થઇ શકે, તેની ફરતે સુંદર અને મનમોહક માહોલ ઉભો કરવા આગળ કાર્યવાહી કરવામાં આવશે. પ્રસંગ કરવા માગતા લોકો માટે રહેવા-ઉતારાની વ્યવસ્થા, જમવા માટે હોટલનું પણ વિચાર છે.આ બધા પાછળનો હેતુ-ધ્યેય માત્ર અને માત્ર પાંજરાપોળ સંસ્થા સંપૂર્ણ સ્વનિર્ભર બને ગૌમાતા માટે કયાંય હાથ લાંબો ન કરવો પડે. અહીં જે ફરવા આવશે તે ગાયોના માટે કંઇક તો આપીને જશેને , વોટરપાર્ક પણ બનશે. આ વિશાળ પાંજરાપોળ વિડ વિસ્તારની હજારો વિઘાને હરિયાળી બનાવવા ૧૮ બોર બનાવી તેના ૫૨૧૮ મોટરો મુકવામાં આવી છે. અને જયાં પણ વાવેતર કે વૃક્ષારોપણ કરવમાં આવ્યું છે. ત્યાં દુરદુર સુધી...