મોરબી : ગ્રામ્ય વિસ્તારનાં બંધ કરાયેલા બસ રૂટ ફરી શરુ કરવા માંગણી

- text


મોરબીનાં સામાજિક કાર્યકર મહાદેવભાઈ એમ. ગોહેલએ મોરબી જિલ્લા એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી એસટી વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તારનાં અમુક રૂટ બંધ કરી દેતા મુસાફરો પરેશાન છે. તેમાં પણ ખાસ કરીને મોરબીથી ઝીકીયારી જવા માટે જે દરરોજ સવારે ૯.૩૦ વાગ્યાની બસ બંધ થઈ છે તેથી મુસાફરો વધુ પરેશાન છે. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગને આ કારણોસર ખુબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. આથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાને લઈ જે રૂટની બસો બંધ થઈ છે એ ફરીથી શરુ કરવા માંગણી છે એવું સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ એમ. ગોહેલએ જણાવ્યું છે.

- text

 

- text