ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા (સુ.) ગામે કરોતરા પરિવાર દ્વારા કુળદેવી આઈ શ્રી શેખ માતાજી તથા આઈ શ્રી કામઈ માતાજીના નૂતન મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 27 એપ્રિલ 2026, સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક પ્રસંગ સંવત 2082 વૈશાખ સુદ-11ના શુભ દિવસે વિવિધ વિધિ-વિધાન સાથે ઉજવાશે. કાર્યક્રમની શરૂઆત સવારે 7 કલાકે ગણપતિ પૂજનથી થશે, ત્યારબાદ સામૈયા, સ્થાપ્ય દેવ પૂજન, સ્થાપના વિધિ અને મૂર્તિ ન્યાસ જેવીવિધિ યોજાશે. સવારે 11:15 કલાકે માતાજીની સ્થાપના વિધિ પૂર્ણ થશે. બપોરે શાંતિ પૌષ્ટિક હોમ અને બીડુ હોમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાત્રે 10 કલાકે માતાજીની બેઠક યોજાશે. ઉપરાંત સંતો અને ભુવાનોના સામૈયા પણ કાર્યક્રમને ભવ્યતા આપશે. રાત્રે 10 કલાકે યોજાનાર માતાજીની ભવ્ય રમેલમાં રાવળદેવ જયદેવભાઈ (ટંકારાવાળા) અને લોકગાયિકા વિશ્વાબેન રબારી ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે.આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અધ્યક્ષ સ્થાને વડવાળા મંદિર દુધરેજના મહામંડેલશ્વર કનીરામદાસજી બાપુ ઉપસ્થિત રહેશે. જ્યારે દુધઈ વડવાળા મંદિરના મહંત મહામંડેલશ્વર રામબાલકદાસ બાપુ તથા આપા ઝાલાની જગ્યા મેસરીયાના મહંત બંસીદાસજી બાપુ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી કપિલદેવજી મહારાજ સુરત (જામદુધઈ વાળા) ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. કરોતરા પરિવાર દ્વારા નેસડા (સુ.), ઘુનડા, લીલાપર, થોરીયાણી, બાંગા, મેઘપર ઝાલા સહિતના ગામોના ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લેવા અને પ્રસંગને ભવ્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.