મોરબી : આજરોજ સેન્ટર પોઇન્ટ વિદ્યાલય(નિર્મલ વિદ્યાલય)ના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારર્કિદી માર્ગદર્શન સેમિનાર તથા વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય અને સેન્ટર પોઇન્ટ વિદ્યાલયના વિધાર્થીઓ માટે કારર્કિદી માર્ગદર્શન સેમિનાર તથા વિધાર્થી સન્માન સમારોહનું આયોજન પ્રાર્થના હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા શિક્ષણવિદ્, કોર્પોરેટ ટ્રેઇનર ડૉ. હિરેનભાઇ મહેતા તથા પ્રોફેસર પ્રણવભાઇ ત્રિવેદી દ્રારા જીવન ધડતર તથા ધો.12 પછીના વિવિધ કારર્કિદીલક્ષી અભ્યાસક્રમો અને GCASની ખૂબ સરસ માહિતી આપી હતી. સમગ્ર સેમિનારને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ, સંચાલકો અને વાણિજ્ય વિભાગના સમગ્ર સ્ટાફે ખૂબ જ સરસ સંકલન અને સહયોગ કર્યો હતો.