બ્રેઈન ટ્યુમર, એન્ડોસ્કોપી, મણકાની સર્જરી, સ્લિપ ડિસ્ક અને કમરની સારવાર, મિનિમલ સર્જરી, ચિરા વગરની સ્ટ્રોકની સર્જરી, વાઈ અને ખેંચની સર્જરીના નિષ્ણાંત : અનેક રોગોની ઓપરેશન વગરની પણ સારવાર ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત તબીબ આવતીકાલે બુધવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા બે હોસ્પિટલમાં ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મગજને લગતા રોગો માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શનની સવલત મળવાની છે.રાજકોટની પ્રખ્યાત ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો. સાગર ઘોડાસરા દર મહિનાના બીજા બુધવારે મોરબીમાં બે સ્થળોએ ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત આવતીકાલે તા.12 નવેમ્બરના રોજ મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ આવેલ ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે 10થી 12 ઓપીડી યોજવાના છે. ત્યારબાદ સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ સમર્પણ હોસ્પિટલમાં બપોરે 12થી 1:30 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.ડો. સાગર ઘોડાસરા MS, DNB (ન્યુરોસર્જન) બ્રેઇન ટ્યુમર (મગજની ગાંઠ), એન્ડોસ્કોપી, કરોડરજ્જુના મણકાની સર્જરી, સ્લિપ ડિસ્કની અને કમરના દરેક દર્દોની સારવાર, મિનિમલ સર્જરી, ચિરા વગરની સ્ટ્રોકની સર્જરી, વાઈ અને ખેંચની સર્જરી, એન્ડોવાસ્ક્યુલર ન્યુરોઇન્ટરવેન્શન, નાનામાં નાના ચીરાથી સ્પાઇન અને ટ્યુમરની સર્જરીના નિષ્ણાંત છે.મગજને લગતા રોગો માટે મોરબીના લોકોને છેક રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ રાજકોટની પ્રખ્યાત ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે. તેમ યાદીમાં જણાવાયું છે.ઓપીડી તા.12 નવે. ક્રિષ્ના હોસ્પિટલસમય :10થી 12ફો.02822224492 મો.7600075275સમર્પણ હોસ્પિટલ સમય : 12થી 1:30ફો.7600075275