મોરબી તાલુકા સરપંચ એસો.એ પણ ખેડૂતોની માંગને સમર્થન આપ્યું : ખેડૂતોને ફરી બેઠા કરવા દેવું માફ કરવું એ જ વિકલ્પ, માંગ નહિ સ્વીકારાય તો આંદોલન કરવાની પણ ચીમકીમોરબી : કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ આગામી દિવસોના સરકાર સહાય પેકેજ જાહેર કરવાની છે. ત્યારે મોરબી તાલુકાના 8 ગામોના ખેડૂતો અને સરપંચ એસો. દ્વારા સહાય પેકેજની સાથે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર તંત્રને રજુઆત કરી છે.રજુઆતમાં જણાવાયુ હતું કે અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે બદલાયેલા વાતાવરણને કારણે ઋતુચક્રમાં બદલાવ આવ્યો છે. ગમે ત્યારે વરસાદ-ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતા વધી રહી છે. ચક્રવાત અને કમોસમી વરસાદને કારણે ખેડૂતને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર થતા નુકસાનને કારણે જગતનો તાત - અન્નદાતા દેવાદાર થતો જાય છે. પરંતુ ખેડૂતને થતું નુકસાન સહયથી ભરપાઈ થઈ શકે નહિ.ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. આવી પરિસ્થિતિમા ખેડૂતને દેવામુક્ત કરવા માટે સરકારે એકવાર દેવું માફ કરવું જોઈએ. બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી કરકસર કરી તે નાણાં ખેડૂત પાછળ ખર્ચી ખેડૂતોને દેવામુક્ત કરવા જોઈએ. જેથી ખેડૂત કરી બેઠો થઈ શકે અને ઉમંગમા આવી ખેતી કરતો થાય. તે માનવ જીવન માટે ખુબજરૂરી છે. નહીતર ખેતીથી ખેડૂત દુર ભાગતો થશે, ખેતી ઓછી થતી જશે તો ખુબ મોટી સમસ્યાઓનું નિર્માણ થશે.આ રજુઆતમાં જીકિયારી, ઉંચી માંડલ, નીચી માંડલ,આંદરણા, વાંકડા, ખરેડા, શનાળા તળાવીયા અને ચકમપર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.રાહત પેકેજમાં ખેડૂતોને હેકટર દીઠ રૂ.50 હજારની સહાય મળવી જોઇએમોરબી તાલુકા સરપંચ એસો.ના ઉપપ્રમુખ અને માનસર ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ઠોરિયાએ જણાવ્યું કે પાક તો ઠીક પાલો પણ નાશ પામ્યો છે. પશુપાલન માટે ઘાસચારો પણ વધ્યો નથી. સરકારે રાહત પેકેજની સાથે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ અને વીમા યોજના લાગુ કરવી જોઇએ. આ સાથે રાહત પેકેજમાં હેકટર દીઠ રૂ.50 હજારની ખેડૂતોને સહાય આપવી જોઈએ. જો આ માંગ નહિ સંતોષાય તો રસ્તા ઉપર ઉતરી જે આંદોલન કરવું પડશે તે કરીશું. ચલો ગાંધીનગર અભિયાન ચલાવીશુંજીકિયારી ગામના જેન્તીભાઈ ભાટિયાએ જણાવ્યું કે પાકનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. ખાતર કે દવા લેવા માટે એક પણ રૂપિયો નથી. માત્ર સહાય નહિ સંપૂર્ણ દેવા માફ કરે. અમે ચલો ગાંધીનગર અભિયાન ચલાવી ત્યાં અત્યાર સુધીની સૌથી મોટી રેલી યોજીશું. માત્ર રાહત પેકેજથી ખેડૂતો બેઠા થઈ શકે તેમ નથીખરેડાના રજનીશભાઈ ચાડમિયાએ જણાવ્યું કે 50 વર્ષમાં દિવાળી પછી નથી આવ્યો તેટલો વરસાદ આ વર્ષે આવ્યો છે. ખેડૂતોને થાળીમાં આવેલું ઢોળાઈ ગયું છે. હવે માત્ર રાહત પેકેજથી ખેડૂતો બેઠા થઈ શકે તેમ નથી. સરકાર સંપૂર્ણ દેવા માફ કરે તેવી માંગ છે. ઉપજમાંથી સંતાનોનો લગ્ન અને અભ્યાસનો ખર્ચ કાઢવાનો હતોખરેડા ગામના ખેડૂત અશોકભાઈએ જણાવ્યું કે મારા એક દીકરાના લગ્ન અને બીજા દીકરાનો અભ્યાસનો ખર્ચ આ ઉપજમાંથી કાઢવાનો હતો. પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. એટલે હવે દેણું કરવાનો વારો આવ્યો છે. બધા ખેડૂતો અત્યારે ન ઘરના કે ન ઘાટના હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમે આંદોલન કરવા પણ તૈયાર છીએવાકડા ગામના ખેડૂત ફૂલતરીયા જીતુભાઈએ જણાવ્યું કે પાક વાવ્યો ત્યારે લગ્ન પ્રસંગ સહિતના ખર્ચ ચૂકવાઈ જશે તેવી આશા હતી. પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. સરકાર બધા ખેડુતોના દેવા માફ કરે તેવી માંગ છે. જો આ માંગ નહીં સંતોષાય તો અમે આંદોલન કરવા પણ તૈયાર છીએ.