મોરબી : ભારતભરમાં લોકો અલગ અલગ દિવસે પોતાની નવું વર્ષ ઉજવતા હોય છે. ત્યારે કારતક સુદ-1 એટલે કે આજે ગુજરાતીઓનું નવું વર્ષ છે. આ વર્ષે 22 ઓક્ટોબર ને બુધવારના રોજ કારતક સુદ-1થી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને આગામી વર્ષ તન, મન અને ધનથી સુખમય રીતે પસાર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.શા માટે ગુજરાતીઓ આજે નવું વર્ષ તરીકે ઉજવે છે ? આ નવા વર્ષની ઉજવણી પાછળની પૌરાણિક કથા શું છે? તે શું ધાર્મિક મહત્વ ધરાવે છે? તો ચાલો આ ભવ્ય તહેવાર વિશે તમામ માહિતી જાણીએ! ગુજરાતી નવા વર્ષ સાથે જોડાયેલી પૌરાણિક કથા જેમ આપણે હિન્દુઓને જોયા છે, અને ખાસ કરીને ગુજરાતીઓ દિવાળીના બીજા દિવસે તેમના નવા વર્ષની ઉજવણી કરે છે, પરંતુ દરેક અન્ય તહેવારોની જેમ જ, આપણી દિવાળી અને નવું વર્ષ પણ કેટલાક આવશ્યક ધાર્મિક મહત્વ અને સંદેશાઓ ધરાવે છે. આ ઉપરાંત આપણી સંસ્કૃતિ હંમેશા તહેવારો અને ઉત્સવોને લોકો માટે કેટલાક સમજદાર શિક્ષણ અથવા પાઠ સાથે લહેરાવે છે. દિવાળી અને નવું વર્ષ પણ એક સંદેશ ફેલાવે છે. આવો જાણીએ હિન્દુ નવા વર્ષ પાછળની પૌરાણિક કથા. આપણી પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે કૃષ્ણએ પૃથ્વીના નિર્દોષ લોકોને હેરાન કરતા દુષ્ટ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. આ ઉપરાંત આ દિવસે ભગવાન રામ તેમના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તેથી આપણે બધા અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરીએ છીએ. તેથી જ આપણે નવા વર્ષનું સ્વાગત રોશની અને ફટાકડાથી કરીએ છીએ. વાઘ બારસથી જ દિવાળી પર્વની ઉજવણીની શરૂઆત થાય છે. આ દિવસ સાથે જોડાયેલી બીજી કથા ભગવાન વિષ્ણુ અને રાજા મહાબલિની છે. આ તહેવાર ભગવાન વિષ્ણુ દ્વારા રાજા મહાબલિને આપેલા વરદાનની ઉજવણી કરે છે. વરદાન મુજબ તે દર વર્ષે આ દિવસે તેમના રાજ્યની મુલાકાત લઈ શકે છે કે, અને તેમના લોકો સુખી, સંતુષ્ટ અને સમૃદ્ધ છે તે જોઇ શકે છે. આ દિવસ સાથે જોડાયેલી બીજી ધાર્મિક વિધિ એ બાષ્પીભવન થયેલા તળાવોમાંથી મીઠું એકઠું કરવું અને તેનું વિતરણ કરવું છે. લોકો આવા તળાવમાંથી મીઠાના પથ્થરો એકઠા કરે છે અને દરેકને વહેંચે છે. તે 'સબરસ અર્થ' તરીકે ઓળખાય છે. જેનો મતલબ એ છે કે, આપણે સૌ એક છીએ, આ સબરસ આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. લોકો ભેટ સોગાત અને મીઠાઈઓ સાથે એકબીજાની મુલાકાત લે છે અને શુભેચ્છા પાઠવે છે. તેઓ મિત્રો અને પરિવારને 'નૂતન વર્ષાભિનંદન' સાથે શુભેચ્છા પાઠવે છે જેનો અર્થ છે કે, આ નવું વર્ષ તેમના માટે સુખ, શાંતિ અને અને સમૃદ્ધિ લાવશે.રાજા વિક્રમાદિત્યે હૂણ-શક રાજાઓ ઉપર વિજય મેળવી દીપાવલિ ધામધૂમથી ઉજવી અને કારતક સુદ એકમથી વિક્રમસંવત શરૂ કર્યો. આ રીતે પરંપરા શરૂ થઈ. વિક્રમસંવત પ્રમાણે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે નૂતનવર્ષ.શા માટે બેસતા વર્ષે જ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે?વીતેલા વર્ષમાં પરમાત્માની કૃપાથી જે કંઈ નવાં ધાન્ય-અનાજ પાક્યાં હોય અને વિવિધ વાનગીઓ બનાવીને, નવા વર્ષના પહેલા દિવસે, કારતક સુદ એકમે પરમાત્માને ભાવપૂર્વ ધરાવીને તેમને જમાડવાનો ઉત્સવ એટલે અન્નકૂટ. અન્નકૂટ ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરાય છે. આ ઉત્સવ ઉજવવાની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણ કે ઠાકોરજીએ કરી, એમ કહી શકાય. શ્રી કૃષ્ણે ગોકુળ-વૃંદાવનમાં થતી ઈન્દ્રપૂજા બંધ કરાવીને ગાયો અને ગોવર્ધનપર્વતની પૂજા પ્રવર્તિત કરી. લોકોએ પર્વત આગળ અન્નકૂટ ભરીને આ પરંપરાની શરૂઆત કરી.વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ શા માટે સૌથી મોટો તહેવાર છે?વિક્રમ સંવત પ્રમાણે કારતક સુદ એકમથી નવા વર્ષનો આરંભ થાય છે. જૂનુ વર્ષ સરી જાય અને નવી આશાઓ જન્માવતું નવલા વર્ષનું પ્રભાત પ્રગટે છે. આખી દુનિયામાં પોત પોતાના પંચાગ પ્રમાણે નવું વર્ષ ભારે હર્ષોલ્લાસથી ઉજવાય છે. દીવડાઓના પ્રકાશથી નવા વર્ષ મનની આસુરી વૃત્તિઓનો અંધકાર ધોઈ નાખીને વેરઝેર ભૂલીને, પરસ્પર સદભાવ કેળવવાનો આ સૌથી મોટો તહેવાર બની રહે છે.બેસતા વર્ષના દિવસે વહેલી સવારે ઘરમાંથી કચરો કાઢવાનું શું પ્રયોજન છે?બેસતા વર્ષે, વહેલી સવારે સ્ત્રીઓ સાવરણીથી ઘરનો કચરો એક થાળીમાં ભેગો કરીને શેરી બહાર નાખી આવે છે. પાછા ફરતી વખતે તે સ્ત્રીઓ થાળી વગાડતી વગાડતી બોલે છે, 'મારા ઘરમાંથી આળશ (કચરો-પ્રદૂષણ) જાય અને લક્ષ્મી આવે.'