મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં આવેલ ભીમરાણા નગરમાં રહેતા વિનોદભાઈ શામજીભાઈ શિહોરા ઉ.23 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગઈકાલે બપોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.