ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન બાલાજી મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ ઐતિહાસિક મંદિર, જેની સ્થાપના વર્ષ 1985-86માં ઉજ્જૈનના સંત દ્વારા કરવામાં આવી હતી. તેનું નવીનીકરણ ભક્તોના અથાગ સહયોગ અને દાનથી સંપન્ન થયું છે. આ શુભ પ્રસંગે મંદિર સેવકગણ દ્વારા ભવ્ય ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, ટંકારા ખાતે 1985-86માં ઉજ્જૈનના સંત દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, અહીં અમરનાથ મહાદેવ મંદિર અને રામજી મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. સમય જતાં મંદિરનું બાંધકામ જર્જરિત થતાં તેના જીર્ણોદ્ધારની જરૂરિયાત ઊભી થઈ. આ કાર્ય માટે કુલ રૂ. 9,65,551/-નો ખર્ચ થયો, જેમાં મુખ્ય દાતા સ્વ. મગનભાઈ ભગવાનજીભાઈ ઘોડાસરા પરિવાર તરફથી રૂ. 1,11,111/-નું મહત્ત્વપૂર્ણ દાન પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત કુંવરજીભાઈ ભાગીયા, મગનભાઈ વરમોરા અને વાત્સલ્યભાઈ મનીપરાએ 6 માસ સુધી અથાગ મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.આ ભવ્ય કાર્યક્રમ ટંકારામાં રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા શ્રી કષ્ટભંજન બાલાજી મંદિર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા એમ.ડી. સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, પટેલનગર અને દયાનંદનગર-2ના સૌ ભક્તજનોએ તન, મન અને ધનથી અમૂલ્ય સહકાર આપ્યો છે. તેમના આ સહયોગથી મંદિરનું જીર્ણોદ્ધાર અને આ કાર્યક્રમનું આયોજન શક્ય બન્યું છે.