મોરબી : રાજકોટ ડિવિઝનમાં સ્થિત લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2025 સુધી કેટલીક વધુ ટ્રેનોને અસર થશે.જેમાં ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 21-8-2025 ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 22-8-2025 ના રોજ રદ રહેશે. આંશિક રીતે રદ થયેલી ટ્રેનોની વાત કરીએ તો 21-8-2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલને જામનગર સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી, આ ટ્રેન જામનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 20-8-2025 ના રોજ એર્નાકુલમથી ઉપડનારી ટ્રેન નં. એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસને હાપામાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી, આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 22-8-2025 ની ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ઓખાને બદલે જામનગરથી શરૂ થશે. આથી, આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 23-8-2025 ની ટ્રેન નં. 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ ઓખાને બદલે હાપાથી શરૂ થશે. આથી, આ ટ્રેન ઓખા-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.રિશેડ્યુલ થયેલી ટ્રેનોની વાત કરીએ તો ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 22-8-2025 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય 12-15 વાગ્યાને બદલે 5 કલાક અને 45 મિનિટ મોડી એટલે કે 18-00 વાગ્યે ઉપડશે. ટ્રેન નં. 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 22-8-2025 ના રોજ પોરબંદરથી તેના નિર્ધારિત સમય 19-40 વાગ્યાને બદલે 1 કલાક અને 10 મિનિટ મોડી એટલે કે 20-50 વાગ્યે ઉપડશે. રેલવે તંત્ર યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.