મોરબી : છેલ્લા 31 વર્ષથી કાર્યરત મોરબીની એન્ડેકા સિરામિક્સ ઈન્ડિયા કંપનીએ પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારી સમજીને ખાનગી હોસ્પિટલને બે એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે. એન્ડેકા સિરામિક્સ ઈન્ડિયા દ્વારા મા ઉમિયા જનસેવા ટ્રસ્ટ દ્વારા મોરબીના મહેન્દ્રનગર ખાતે ચાલતી સમર્પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને બે એમ્બ્યુલન્સ દાનમાં આપી છે. જે કટોકટીના સમયમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે.7 ઓગસ્ટના રોજ એન્ડેકા સિરામિક્સ ઈન્ડિયા પ્રા.લી.ના એવીપી સેલ્સ અને માર્કેટિંગ જી.એસ. રામકૃષ્ણનની હાજરીમાં અને ભાગીદારો સી.ડી. પટેલ (એમડી અને ભાગીદાર), ફેક્ટ ટ્રેડિંગ કંપની મોરબી દ્વારા મનોજ શેરતિયા (એમડી અને ભાગીદાર), ઈન્ટિગ્રલ ટ્રેડિંગ રાજકોટની સાથે એમ્બ્યુલન્સનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવ્યું હતું.