સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે વિવિધ ટેબ્લો સાથે નીકળી યાત્રા મોરબી : આજે 6 ઓગસ્ટ ને બુધવારના રોજ સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સહયોગથી સંસ્કૃત ભારતી મોરબી તેમજ સાર્થક વિદ્યામંદિર મોરબીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત દિવસ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાય હતી.આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડીડીઓ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અધિકારી મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તરફથી દીપાબેન, સંસ્કૃત ભારતીમાંથી મયુરભાઈ શુક્લ તથા પાયલબેન ભટ્ટ, સંસ્કૃતના કાર્યકર્તાઓ તેમજ સંસ્કૃત અનુરાગીઓ, સાર્થક વિદ્યામંદિરની વ્યવસ્થાપન ટીમ અને ટ્રસ્ટીગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પત્રકારો સહિતના લોકો જોડાયા હતા. જેમાં ધ્યેય મંત્ર, તજજ્ઞોનુંમાં સંસ્કૃતમાં વક્તવ્ય, મહાનુભવોનું સંસ્કૃતના મહત્વ અંગે વક્તવ્ય, પ્રદર્શની, સંસ્કૃતનો પ્રચાર -પ્રસાર માટે ટેબ્લો, વિવિધ વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ ગરબા ,ભરત નાટયમ ,સંસ્કૃત ગીતો અને નાટકની પ્રસ્તુતિ, સંસ્કૃત નારા સાથેની વિશાળ યાત્રા નીકળી હતી. કાર્યક્રમનું સંચાલન વિવેકભાઈ શુક્લએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરના તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓની જહેમત ઉઠાવી હતી.