મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 2-8-2025ને શનિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં 11 કેવી સિલ્ક ind. ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી સાંજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.