મોરબી : મોરબીના શક્ત શનાળામાં પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ચાલી શકાય તેવી પણ સ્થિતિ નથી. આ અંગે મહાપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. મહાપાલિકા હવે કોઈ કાર્યવાહી નહિ કરે તો અહીંના લોકો રોડ ઉપર ઉતરવા મજબુર થશે.