વાંકાનેર : જડેશ્વર જીવદયા ગ્રુપ- વાંકાનેર તથા યુવા શક્તિ ગ્રુપ- મોરબી દ્વારા વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે વડસર તળાવના જંગલ વિસ્તારમાં કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 500થી પણ વધારે કીડિયારું ભરેલા શ્રીફળને જંગલમાં મૂકવામાં આવ્યા હતા. યુવાનોએ આ કાર્ય કરીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.