મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા. 25-7-2025ના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 8 થી સાંજના 6 કલાક સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં અમૃત IND. ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે, પીપળી રોડ પર આવતી મારુતિ પાર્ક, ગજાનંદ પાર્ક, માનસ ધામ- 1 સોસાયટી તથા આ ફીડરમાં આવતા HT અને અન્ય LT વીજજોડાણ, તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.