ટંકારા : આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પેડ મા ભારતી કે નામ 2.0 અભિયાન અંતર્ગત મહર્ષિ દયાનંદજી સરસ્વતીના પ્રાકૃતિક, વૈદિકના મહા સંદેશા પ્રેરણા સ્તોત્રની જન્મભૂમિ ટંકારાના નસીતપર 2 ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તથા આઈ.ટી.એમ ઇન્ચાર્જ તથા સ્વચ્છ પર્યાવરણ સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા અજય કુમાર વસંતલાલ ઝાલરીયાએ પુત્ર શિવાય સાથે મળીને પવિત્ર સનાતન પરંપરા ભારતીય સંસ્કૃતિ દેવોના દેવ મહારાજ મહાકાલનું અંશ શ્રી પંચમ રુદ્રાક્ષ તથા ફળોના રાજાઓમાં પણ મહારાજા મિયાઝાકી કેરી તથા ફૂલોના મહારાજા વાઈટ ગુલાબ યલો ગુલાબ અને રેડ ગુલાબનું તથા અન્ય વનસ્પતિનું સેવ ઓફ એન્વાયરમેન્ટ ઓફ અર્થ હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું.