મોરબી : મોરબીના બગથળા ખાતે આવેલ નકલંક મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 10-7-2025 ને ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 9 કલાકે ગુરૂપૂજન અને આરતી, 10 કલાકે ધર્મસભા તથા સવારે 11 કલાકે ઠાકોરજીનો મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભક્તજનોને ગુરુજીનાં આશીર્વાદ તેમજ પૂજન કરવા તથા મહા આરતી તેમજ ધર્મ સભાનો લાભ લેવા તથા પ્રસાદ લેવા સર્વે ભક્તજનોને શ્રી નકલંક મંદિર બગથળાની જગ્યાનાં મહંત દામજી ભગત, સર્વે ટ્રસ્ટી ભાઈઓ તથા સમસ્ત બગથળા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.