ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ઇસ્કોનના ભક્તો દ્વારા મહા હરીનામ સંકીર્તન હરે કૃષ્ણ હરે રામના નારા સાથે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની શરૂઆતમાં લજાઈ ગામની દીકરીઓ દ્વારા સામૈયું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથયાત્રા દરમિયાન ગ્રામજનોએ ભગવાનની આરતી કરી ભગવાનને વિવિધ ફળના ભોગ ધરાવ્યો હતો.આ ઉત્સવ નિમિત્તે લજાઈ ગામના વડીલો, માતાઓ અને બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇને ભગવાન જગન્નાથજીના રથને ખેંચીને ભગવાનને લજાઈ ગામની નગર ચર્ચા કરાવી હતી. આ ઉત્સવના સહયોગી દયારામ, ડી. પી. કોટડીયા, પ્રિતુલ વામજા, નયન વામજા અને સમસ્ત ગામે ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રાનું સંચાલન ડો. અતુલ વામજા અને રવિભાઈ ઠોરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.