મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાના સાનિધ્યમાં અષાઢી બીજ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં હતી. જેમાં સવારે ધ્વજારોહણ, બપોર તેમજ સાંજે મહાપ્રસાદ, રાત્રે રામદેવપીરના પાટ, તેમજ નામી અનામી કલાકારોનો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. અષાઢી બીજના પર્વ નિમિત્તે મહેન્દ્રનગર, મોરબી સહિત બહાર ગામના લોકોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો, ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવાયું છે.