ઈચ્છુકોએ 29 જુલાઈ સુધીમાં www.navodaya.gov.in અથવા cbseitms.rcil.gov.in/nvs પર ઓનલાઈન અરજી કરવીમોરબી : ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા.વાંકાનેર, જિ. મોરબીમાં ધોરણ 6 (શૈક્ષણિક વર્ષ 2026-27) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો www.navodaya.gov.in તેમજ cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી તા.29-7-2025 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.ધોરણ-6ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-5માં શૈક્ષણિક વર્ષ 2025-26માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. 13-12-2025(શનિવાર)ના રોજ લેવામાં આવશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.