મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે તારીખ ૨૮ જુનને શનીવારના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી ગુજરાતના જાણીતા ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ સેવા આપશે. જેમાં બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે સી.પી.બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોગ્નીટીવ થેરાપી વગેરે વડે સારવાર કરવામાં આવશે. કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક સોમનાથ પ્લાઝા, ત્રીજો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી-1 ખાતે કાર્યરત છે. વધુ માહિતી માટેનો સંપર્ક નંબર 97278 41107 છે.