ટંકારા : ટંકારાના જબલપુર ગામની સીમમાં આવેલ ફૂટવેર કંપનીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની શ્રમિક રાધેશ્યામ બલકુભાઈ ઉ.52 છેલ્લા બે ત્રણ દિવસથી બીમાર રહેતા હોય સારવાર માટે ટંકારા લઈ જતા રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના પીએમ રિપોર્ટમાં ફેફસાની બીમારીથી હાર્ટએટેકે આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.