મૃતક વ્યક્તિ વિશે કોઈ પાસે જાણકારી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 6359626086 ઉપર સંપર્ક કરવા અપીલવાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં સરતાનપર ગામ પાસે ટ્રકે હડફેટે લેતા વ્યક્તિનું મોત નિપજતા તે અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.12-06-2025 ના 09-45 આસપાસના સમયે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ પાધરવાળી ખાણ પાસે રાતાવિરડા ગામ જવાના રસ્તા ઉપર ટ્રક ડ્રાઇવરે આશરે 30 થી 35 ઉંમરના રસ્તા પર ચાલીને જતા અજાણ્યા માણસને હડફેટે લેતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી અને તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું.આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક શરીરે પાતળો બાંધો માથાના વાળ કાળા તથા ચહેરો લંબગોળ શરીરને લાલ કલરનો ચેક્સ વાળો આખી બાય નો શર્ટ પહેરેલ છે તથા નીચે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને ગળામાં સફેદ સુતરનો ધાર્મિક દોરો પહેરેલ છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર. એલ.એ. ભરગાના મોબાઈલ નંબર 7621958156 અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટેલિફોન નંબર 6359626086 પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.