ટંકારા : ભારતીય જનતા પાર્ટી જિલ્લા કિસાન મોરચા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અજય પટેલ ઝાલરીયા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરીને ટંકારા તાલુકાના ડેમી નદી પર આવેલ સિંચાઇ યોજના ગ્રામીણ સેવા સિંચાઈ સહકારી મંડળી માટે રીન્યુ કરવા રજૂઆત કરાઈ છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, ડેમી નદી પર આવેલ સ્વામી દયાનંદ સરસ્વતી જળસંચય યોજના 2ના સંબંધિત ટંકારા તાલુકાના તમામ ગામની ગ્રામીણ સિંચાઈ સેવા સહકારી મંડળીની સમય અવધી પૂર્ણ થતા તાત્કાલિક સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂત હિત લોક હિત તથા ગ્રામીણ હિત માટે અને તેમના વિકાસ માટે થઈને રીન્યુ કરવામાં આવે જેથી ગ્રામીણ લોકોને તકલીફ ન પડે.