મોરબી અને વાંકાનેરમાં આવતીકાલે શોભાયાત્રા નીકળશે 3 ડીવાયએસપી, 12 PI, 26 PSI અને 600 થી વધારે પોલીસ અને હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં રહેશેમોરબી : આવતીકાલે તારીખ 27 જૂન ને શુક્રવારે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મોરબી શહેરમાં શોભાયાત્રા નીકળનાર છે ત્યારે આ શોભાયાત્રાને લઈને મોરબી શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આવતીકાલે મોરબીના મચ્છુ માતાના મંદિરેથી આ શોભાયાત્રા નીકળવાની છે ત્યારે શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે મોરબી શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા મચ્છુ માતાના મંદિરેથી સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નહેરુ ગેટ, ગ્રીન ચોક વિસ્તારમાં શોભાયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબી અને વાંકાનેરમાં મચ્છુ માતા અને ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પોલીસ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. મોરબી અને વાંકાનેરમાં બંદોબસ્ત દરમિયાન કુલ 3 ડીવાયએસપી, 12 PI, 26 PSI અને 600 થી વધારે પોલીસ અને હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં રહેશે. લોકોને પણ શાંતપૂર્ણ માહોલમાં દર્શન કરવા અપીલ કરવામાં આવી હતી.