પાણી પીવા લાયક ન હોવાનું ધ્યાને આવતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશેમોરબી : આજરોજ મોરબી કોંગ્રેસની ટીમે મોરબીના સામાકાંઠા પાસે કેસરબાગ ખાતે આવેલ પમ્પિંગ સ્ટેશન અને ત્યારબાદ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી અને પમ્પિંગ સ્ટેશનની વાસ્તવિક સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. કેસરબાગ ખાતે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત બાદ કોંગ્રેસની ટીમ દ્વારા જણાવ્યું હતું કે, ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત ઝર્ઝરીત હાલતમાં જોવા મળ્યો હતો. તેમાં પણ અત્યંત દુર્ગંધ યુક્ત પાણી હતું. ત્યાંથી નજરબાગ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં અધિકારીઓ સાથે વાત કરતા જાણવાં મૃળ્યું કે, ત્યાં મચ્છુ ડેમ પરથી રોજ લાખો લીટર પાણી આવે છે અને તેનું દરરોજ વિતરણ કરવામાં આવે છે. તેની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે આ પાણી જન આરોગ્ય માટે હાનીકારક છે. કારણ કે ત્યાં આવેલ બન્ને ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. પાણીની ટાંકીમાં શેવાળ અને અન્ય કચરો પડ્યો છે. મહાનગરપાલિકા મોરબીની જનતા પાસેથી કરોડો રુપિયા ટેક્સ લે છે તો સ્વચ્છ પાણીનો લેવામાં આવે છે કે પછી ગંદકી વાળા પાણી નો..? મોરબીનાં સામાકાંઠાનાં અંદાજિત 50 હજારથી વધુ લોકો આ પાણીનો ઊપયોગ કરી રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા આવી બેદરકારી શા માટે...? આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લેખિતમાં ઊચ્ચ કક્ષાએ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.