હનુમાનજી, ગણેશજી અને ખેતલબાપાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે મોરબી : ન્યૂ ખોડિયાર રામા મંડળ ગૃપ ઘુનડા દ્વારા આવતીકાલ તા. 27-6-2025 ને શુક્રવારના રોજ ન્યૂ ખોડિયાર રામા મંડળ ગૃપ ધારવાળા રામદેવ પીર મંદિર ઘુનડા ખાતે હનુમાનજી, ગણેશજી અને ખેતલબાપાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં તા. 27ના રોજ સવારે 7 કલાકે ભગવાનની મૂર્તિના સામૈયા, શુભ ચોઘડિયે હવન, બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ તથા રાત્રે 9 કલાકે રામાપીરનું મોજનું માંડલું યોજાશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.