ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતા મહેશભાઈ મોહનભાઇ પરમાર ઉ.44 નામના યુવકની માનસિક હાલત ખરાબ હોય ગત તા.24ના રોજ ઘેરથી નીકળી ગયા બાદ નેસડા ગામની સીમમાં આવેલ કેશુભાઈ અમરાભાઈ સોલંકીની વાડીના કુંવામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.