ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં સહદેવસિંહ બાપુભા ઝાલાની વાડીએ ભાગમાં વાડી વાવવા રાખનાર દાહોદનો વતની અક્ષય ઉર્ફે છોટિયો ઈશ્વરભાઈ પસાયા ઉ.14 નામનો સગીર વાડીની ઓરડીમાંથી વાયર બહાર ખેંચી એલઇડી લેમ્પ લગાવી લાઈટ ચાલુ કરવા જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.