મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે છેલ્લા 13 વર્ષથી ધૂનનું આયોજન કરવામાં આવે છે. તો આ પરંપરાને જાળવી રાખી 27 જૂન ને શુક્રવાર ને અષાઢી બીજના દિવસે સવારે 9 વાગ્યા થી 11 વાગ્યા સુધી ધૂન, ભજન તથા ધ્વજા રોહણનું આયોજન કરવામાં આવ્યું છે. તથા ધૂન પૂર્ણ થયે અલ્પાહાર રાખવામાં આવ્યો છે. તો સર્વે ભક્તજનોને પધારવા મહંત નિરંજન દાસજી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.