મોરબી : મોરબી તાલુકાના ગુંગણ ગામે આગામી તારીખ 27 જૂન ને શુક્રવારે અષાઢી બીજના પાવન દિવસે રામદેવપીર મહારાજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે શુભ ચોઘડિયે શોભાયાત્રા નીકળશે. સાથે જ રામદેવપીરના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા અલખધણી રામામંડળ અને સમસ્ત ગુંગણ ગામ તરફથી પ્રમુખ જીવણભાઈ રબારી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.