મોરબી : મોરબીના પીપળીયા ગામના હસમુખભાઈ મોહનભાઈ આદ્રોજા અને જીવંતાબેન હસમુખભાઈ આદ્રોજાના પુત્ર પાવન આદ્રોજાએ ફળ ની પદવી પ્રાપ્ત કરી છે.પાવન અદ્રોજાએ ભારતની નામાંકિત ગણાતી એવી ભારતીય પ્રોધોગિકી સંસ્થાન ગાંધીનગર (IIT Gandhinagar) માં ગણિત વિષય નાં Algebraic Geometry માં સંશોધન કરીને PhDની પદવી પ્રાપ્ત કરી છે. પાવને PhD દરમિયાન ભારતની પ્રમુખ સંસ્થાન એવી, IIT Madras, Chennai Mathematical Institute (CMI), IISER Bhopal, Harish-Chandra Research Institute (HRI) તેમજ વિદેશમાં જર્મનીની Goethe University અને ઇટલીની SISSA માં શૈક્ષણિક પ્રવાસ કરેલો છે. આ સફળતા બદલ ડો. પાવન અદ્રોજાને અભિનંદન અને ભવિષ્યમાં ખુબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.