વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે આગામી તારીખ 26 જૂન ને ગુરુવારના રોજ રાત્રે 8 કલાકેથી ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે. જ્યારે અષાઢી બીજના દિવસે 27 જૂનના રોજ અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભક્તોને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.