પ્રાર્થનાસભામાં વિજયભાઈ રૂપાણીના ભત્રીજા મેહુલભાઈ રૂપાણી અને જમાઈ નિમિતભાઈ મિશ્રા ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ પ્રાર્થનાસભામાં વિજય રૂપાણીના ભત્રીજા મેહુલભાઈ પ્રવિણભાઈ રૂપાણી અને તેમના જમાઈ નિમિતભાઈ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા જૈન મુનિ દિવ્યયસ વિજયજી મહારાજ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમણી, RSSના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક જયંતિભાઈ ભાડેસિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વિજયભાઈ રૂપાણીના નિકટના મિત્ર પ્રદીપભાઈ વાળા, વિવિધ સમાજના અગ્રણી, વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના હોદેદારો, વિવિધ એસોસિએશનના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.