મોરબી : આવતીકાલે ૨૨ જૂને વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ૩ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ટેકનિકલ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં (૧) ટ્રેન સંખ્યા ૭૯૪૪૭ વાંકાનેર-મોરબી ડેમુ (પ્રસ્થાન સમય સાંજે 07:00 વાગ્યે) રદ, (૨) ટ્રેન સંખ્યા ૭૯૪૪૮ મોરબી-વાંકાનેર ડેમુ (પ્રસ્થાન સમય રાત્રે 08:00 વાગ્યે) રદ અને (૩) ટ્રેન સંખ્યા ૭૯૪૫૧ વાંકાનેર-મોરબી ડેમુ (પ્રસ્થાન સમય રાત્રે 09:30 વાગ્યે) રદ કરવામાં આવી છે.