મોરબી : સમગ્ર વિશ્વમાં 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એસ.એસ.વાય પરિવાર -મોરબી દ્વારા સ્વામિનારાયણ મંદિર, જીઆઈડીસી, મોરબી ખાતે આજે વહેલી સવારે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન આયુષ મંત્રાલયના પ્રોટોકોલ મુજબના યોગાસનો તેમજ એસએસવાયના પ્રાણાયામ કરવામાં આવ્યા. આ યોગ દિનની ઉજવણીમાં શાસ્ત્રી સ્વામી તેમજ નવનીતભાઈ કુંડારિયા, અંબારામભાઈ કવાડિયા, સંસ્કાર બ્લડ બેંકના રમેશભાઈ માકાસણા તથા ખુબજ મોટી સંખ્યામાં સાધકો અને હરિભક્તો જોડાયા હતા. મહત્વનું છે કે, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, આપણા ઋષિ-મુનિઓ ધ્યાન અને યોગ દ્વારા નિરોગી રહેતા હતા, સાંપ્રત સમયમાં યોગ અને ધ્યાનની અતિ આવશ્યકતા હોય.