મોરબી : મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે બોલેરોમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 45 ઘેટા-બકરાને ગૌરક્ષકોએ બચાવી પાંજરાપોળમાં મુક્યા છે. સાથે પોલીસ મથકે આ મામલે ફરિયાદ પણ કરી છે. મોરબી અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક બોલેરો પીકઅપ આવી રહી છે. જેમાં ઘેટા- બકરા ક્રુરતા પૂર્વક લઈ જવામાં આવી રહ્યા છે. આ વાહન નંબર GJ 12 BX 1949 જે કચ્છથી માળીયા થઈને મોરબી બાજુ આવતું હોય ત્યારે ગૌરક્ષકોએ રવિરાજ ચોકડીએ રોકીને તેમાં ચેક કરત 45 ઘેટા- બકરાને ક્રૂરતાપૂર્વક હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. કોઈ પાસ પરપીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ બાજુથી ભરેલા હોય અને મોરબીમાં કુબેર ટોકીઝ પાસે કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. આ જીવને બચાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી તમામ જીવોને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. આ કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ - દિલ્હી તેમજ લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, વીરમગામ, કચ્છ, રાજકોટના ગૌરક્ષકો જોડાયા હતા. તેમ ગૌરક્ષકોની યાદીમાં જણાવાયું છે.