વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ગઈકાલે ઘેરથી કુદરતી હાજતે જવા નીકળેલા આહમદભાઈ હૈયાતભાઈ પરાસરા ઉ.66 રહે.કાસમપરા, સિંધાવદર વાળાઓ કેનાલ નજીક પહોંચ્યા બાદ અકસ્માતે કેનાલમા પડી જતા કેનાલમાં રહેલા વરસાદી પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.