સમાજમાં ન્યાય સમાનતા શાંતિ સ્થાપિત થાય તે ઉદેશ્યથી કાર્યરત છે આ સંસ્થા માળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના આનંદી સંસ્થાના 30 વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. 2001માં જે ભૂકંપ આવ્યો ત્યારે મોટા ભાગની સંસ્થાઓ સહાય કામ માટે કચ્છમાં જતી હતી. કચ્છમાં ભૂકંપ આવ્યો છે એવું સમજતા હતા, માળીયામાં કોઈ આવતું નહિ, એટલે આનંદી સંસ્થાના સ્થાપક સુમિત્રાબહેન ઠક્કર જેઓએ માળીયાના ગામોની ભૂકંપ સમયે મુલાકાત કરી હતી. તે સમયે માળીયા તાલુકામાં ઘણું બધું નુકશાન થયું હતું ત્યારે આનંદી સંસ્થાએ રિલીફ વર્કનું કામ કર્યું, આવાસ બાંધવાનું, પાણીના ટાકા બનાવ્યા, સમાજમાં મકાન બાંધવાનું કામ કરાવ્યું. ત્યારે માત્ર ભાઈઓ જ કડિયા કામ કરતા, બાદ બહેનોને કડિયા તાલીમ આપવામાં આવી અને બહેનો પણ મકાન નિર્માણના કામમાં સગભાગી થયા હતા, આ વિસ્તારમાં બહેનો અને વંચિત પરિવારના મૂળભૂત પાયાના દસ્તાવેજો નષ્ટ પામ્યા હતા જેથી, આધાર પુરાવા કેવી રીતે કાઢવા તેની માહિતી માર્ગદર્શન અને એજન્ટ પ્રથા વધુ હતી, તે સમયે સંસ્થા લોક અધિકાર કેન્દ્ર શરુ કર્યું, જેથી સરકાર સાથે કળી રૂપ રહી કામ કરતાબાદમાં માળીયા મંડળો બનાવ્યા બહેનો બચત કરતા થયા અને ઘરનો વહીવટ કરતા થયા. નાની-મોટી લોન લઈ નાના વ્યવસાયો શરુ કર્યા હતા. મહિલા સશક્તિકરણના કામો કર્યા, માળીયા મહિલા શક્તિ સંગઠનની રચના કરી માળીયા વિસ્તારમાં મહિલાઓ ઉપર ઘણા બધા પ્રકારની હિંસાઓ જોવા મળતી. જેમાં બહેનોને ઘરનો ઉંબરો ઓળંગવોએ મોટો પડકાર હતો. આ બહેનો કયારેય જાહેર માર્ગમાં રેલીઓમાં જોડાતા નહીં, પોલીસથી ડર લાગતો, સામાજિક રીત-રિવાજોમાં વિધવા બહેનોને માંગલિક પ્રસંગેમાં હાજર ના રાખવા, વિધિ કરવા ન એવી, આવા રીત રિવાજોના બંધનો બહેનોએ તોડ્યા અને હાલ પોલીસ સ્ટેશનમાં સપોર્ટ સેન્ટર ચલાવે છે અને દીકરીઓને શિક્ષણ આપતાં થયા છે. આ જોતા આનંદી સંસ્થાના 30 વર્ષની ઉજવણી એક સાર્થક રહી, આનંદી સંસ્થા ચાર બહેનોએ મળીને 1995માં પાયો નાખ્યો હતો, હાલ પંચમહાલ, દાહોદ, ભાવનગર, મોરબી ચાર જિલ્લામાં મહિલા સંગઠનો બનાવીને મહિલાઓના હક અધિકાર માટે અને સમાજમાં ન્યાય સમાનતા શાંતિ સ્થાપિત થાય તે ઉદ્દેશયથી કાર્યરત છે. આ ઉજવણીમાં માળીયા મહિલા શક્તિ સંગઠનના આગેવાનો અને ગ્રામ્ય આગેવાનો 270 જેટલા બહેનો જોડાયા હતા. સંસ્થાના સ્થાપકો, સુમિત્રાબેન, જાહન્વીબેન, પ્રીતિબેન હાજર રહ્યા હતા.